સોપોર: જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલો થયો છે. અહીં ડાક બંગલામાં થઈ રહેલી બેઠક પર આતંકીઓએ હુમલો કર્યો. આ હુમલામાં કાઉન્સિલર રિયાઝ અહેમદ અને એક પોલીસકર્મીનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સોપોરના ડાક બંગલામાં બીડીસીની બેઠક ચાલુ હતી. અચાનક ત્યારે જ આતંકી હુમલો થયો. આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ. જેમાં બે લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. આ બાજુ રાજ્ય પોલીસના જણાવ્યાં મુજબ આતંકી હુમલામાં કાઉન્સિલર રિયાઝ અહેમદ અને પોલીસકર્મી શફ્કત અહેમદનું મોત થયું છે. જ્યારે અન્ય ઘાયલ થયા છે. 


આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ સોપોરમાં જોઈન્ટ ઓપરેશન ચલાવી રહ્યા છે. 


કાશ્મીર ઝોન પોલીસે આ હુમલા અંગે ટ્વીટ કરીને કહ્યું કે આતંકીઓએ મ્યુનિસિપલ ઓફિસ પર હુમલો કર્યો. આ હુમલામાં પોલીસકર્મી શફાકત અહેમદ અને કાઉન્સિલર રિયાઝ અહેમદ શહીદ થયા છે. જ્યારે કાઉન્સિલર શમસુદ્દીન પીર ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. 


Corona Update: ધુળેટીના દિવસે ફૂટ્યો 'કોરોના બોમ્બ', મહારાષ્ટ્ર-ગુજરાત સહિત આ 8 રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube